ત્રાસદાયક બાબત કે ભયના સંદેશાના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સતા - કલમ : ૧૪૪

ત્રાસદાયક બાબત કે ભયના સંદેશાના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સતા

"(૧) જિલ્લા મેજિસ્ટ્રેટ પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા આ અથૅ રાજય સરકારે ખાસ રીતે અધીકાર આપેલા બીજા કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટના અભિપ્રાય મુજબ આ કલમ હેઠળ કાયૅવાહી કરવા માટે પુરતુ કારણ હોય અથવા કોઇ કૃત્ય અટકાવવાની અથવા તેનો તાત્કાલિક ઉપાય કરવાની તાત્કાલિક જરૂર હોય તે પ્રસંગે એવા મેજીસ્ટ્રેટને એમ લાગે કે કોઇ વ્યકિતને અમુક કામ ન કરવાનો અથવા તેના કબજાની કે તેના વહીવટ નીચેની કોઇક મિલકત સબંધમં કોઇક વ્યવસ્થા કરવાનો આદેશ આપવાથી કાયદેસર કામ કરનાર કોઇ વ્યકિતને થતી અડચણ ત્રાસ કે નુકશાન અથવા લોકોના જાન સ્વાસ્થ્ય કે સલામતીને થતુ જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાશે કે અટકે તેમ છે તો મેજિસ્ટ્રેટ કેસની મહત્વની હકીકતો જણાવતો લેખિત હુકમ કરીને અને કલમ ૧૩૪માં જણાવેલી રીતે તે હુકમ બજાવડાવીને તે વ્યકિતને એવો આદેશ આપી શકશે

(૨) તાકીદના પ્રસંગે અથવા જેને તે હુકમ કરવાનો હોય તે વ્યકિતને સંજોગોવશાત યોગ્ય સમયમાં નોટીશ બજાવી શકાય તેમ ન હોય તે પ્રસંગે આ કલમ હેઠળ એકતરફી હુકમ થઇ શકશે

(૩) આ કલમ હેઠળ નો હુકમ કોઇ ચોકકસ વ્યકિતને અથવા કોઇ ચોકકસ સ્થળ કે વિસ્તારમાં રહેનાર વ્યકિતઓને અથવા કોઇ ચોકકસ સ્થળ કે વિસ્તારમાં વારંવાર કે કોઇ વાર આવ જા કરનાર તમામ લોકોને ઉદેશીને થઇ શકશે

(૪) આ કલમ હેઠળનો કોઇ પણ હુકમ તે કયૅની તારીખથી બે મહિના કરતા વધુ સમય સુધી અમલમાં રહેશે નહીં. પરંતુ મનુષ્યના જાન સ્વાસ્થ્ય કે સલામતીને થતુ જોખમ અટકાવવા માટે અથવા હુલ્લડો કે બખેડો અટકાવવા માટે રાજય સરકારને તેમ કરવુ જરૂરી લાગે તો તે જાહેરનામાંથી એવો આદેશ આપી શકશે કે આવો આદેશ આપવામાં આવ્યો ન હોત તો આ કલમ હેઠળ મેજીસ્ટ્રેટે કરેલા હુકમની મુદત જે તારીખે પુરી થાત તે તારીખથી છ મહિના કરતા વધુ ન હોય તેટલી સદરહુ જાહેરનામામાં તે નિર્દિષ્ટ કરે તેટલી વધારે મુદત સુધી મેજિસ્ટ્રેટ કરેલો । હુકમ અમલમાં રહેશે

(૫) કોઇ પણ મેજિસ્ટ્રેટ પોતાની મેળે અથવા નારાજ થયેલ કોઇ વ્યકિતની અરજી ઉપરથી પોતે અથવા પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટ અથવા પોતાના પુરોગામી હોદેદાર આ કલમ હેઠળ કરેલ કોઇ હુકમ પાછો ખેચી શકશે અથવા તેમાં ફેરફાર કરી શકશે

(૬) રાજય સરકાર પોતાની મેળે અથવા નારાજ થયેલ કોઇ વ્યકિતની અરજી ઉપરથી પેટા કલમ (૪)ના પરંતુક હેઠળ પોતે કરેલ કોઇ હુકમ પાછો ખેંચી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે.

(૭) પેટા કલમ (૫) કે પેટા કલમ (૬) હેઠળ અરજી મળે ત્યારે યથાપ્રસંગે મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે અરજદારને જાતે કે વકીલ મારફત પોતાની સમક્ષ હાજર થવાની અને હુકમ વિરૂધ્ધના કારણો દશૉવવાની વેળાસર તક આપવી જોઇશે અને યથાપ્રસંગે મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકાર તે અરજી પુરી કે અંશતઃ નામંજુર કરે તો તેણે તેમ કરવાના કારણ લેખિત નોંધ રવી જોઇશે